સિક્કિમમાં આર્મીની ટ્રક ખાડામાં પડતા 16 જવાનો શહીદ

Sandesh 2022-12-24

Views 45

શુક્રવારે સિક્કિમના જેમામાં સેનાની ટ્રકમાં સવાર 16 સૈનિકો ખાડામાં પડી ગયા હતા. 16 જવાનોમાંથી એક ઉત્તરપ્રદેશના લલિતપુરના સૌજાના ગામના રહેવાસી છે. જવાન શહીદ થયાના સમાચાર મળતા જ લલિતપુરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જે સમયે પરિવારજનોને માહિતી મળી તે સમયે પરિવારના સભ્યો જવાનના જોડિયા પુત્ર અને પુત્રીના જન્મદિવસની તૈયારીમાં વ્યસ્ત હતા. શહીદ જવાન 20 દિવસ પહેલા રજા પરથી ફરજ પર ગયા હતા.

વર્ષ 2004માં લલિતપુર જિલ્લાના ઠાકરસપુરા મહોલ્લા, થાણા સૌજાના નિવાસી 35 વર્ષના ચરણ સિંહના પુત્ર હુકુમ સિંહની આર્મીમાં પસંદગી થઈ હતી. ચરણ સિંહ ઓક્ટોબરમાં એક મહિનાની રજા પર ઘરે આવ્યા હતા અને ત્યાર બાદ રજા એક મહિનો વધારી દીધી હતી. જેના કારણે ચરણસિંહ 3જી ડિસેમ્બરના રોજ ફરજ પર ગયા હતા. શુક્રવારે ચરણ સિંહના જોડિયા બાળકો 3 વર્ષના પુત્ર સુખ સિંહ અને પુત્રી નવ્યાનો જન્મદિવસ હતો. જેના કારણે ચરણ સિંહે સવારે ફોન કરીને બાળકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સાંજે જ્યારે બાળકો કેક કાપવાની તૈયારી કરી રહ્યા હતા. તે જ સમયે સિક્કિમથી યુનિટના અધિકારીને ચરણ સિંહના મોટા ભાઈ બ્રિજપાલ સિંહનો ફોન આવ્યો અને તેમણે ચરણ સિંહના દુઃખદ અવસાનની જાણ કરી. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં આક્રંદ શરૂ થઇ ગયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS